avatar
Gujarat Information
@officialinfogujarat
01.04.2026 18:02
અમરેલીના સણોસરા ખાતેથી 'જળસંચય' અભિયાનનો શંખનાદ...

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના સણોસરા મુકામે પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં 85 ગામોના તળાવો ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ...

રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની (GETCO) તથા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી અમરેલી તાલુકાના 65 અને જિલ્લાના અન્ય 20 મળી કુલ 85 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ...

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે જળસંચયના કામોથી લાભાન્વિત થનાર ગામોના સરપંચશ્રીઓને તળાવો ઊંડા કરવા માટેના જેસીબી મશીનો અર્પણ કરવામાં આવ્યા...

રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે રજૂ કરેલા વિકાસના દરેક કામો મંજૂર થશે : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાંચ ગામના સરપંચશ્રીઓને જેસીબી મશીનની પ્રતિકૃતિ આપી તેઓનું બહુમાન કરાયું...

#GujaratInformation29853
👍 5
2 2.8K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram