avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
07.09.2022 06:15
👉 GPSSB - paper 2022

🌟GK ના પુછાયેલ પ્રશ્ન 🌟

👉 ' હડિયાવેરો ' ગુજરાતમાં થયેલાં ક્યા સત્યાગ્રહનું મુખ્ય કારણ હતું ?

(A) બોરસદ સત્યાગ્રહ
(B) બારડોલી સત્યાગ્રહ
(C) વ્યક્તિગત સત્યાગ્રહ
(D) ખેડા સત્યાગ્રહ

👉 બોરસદ સત્યાગ્રહ (1923)

✔️ ઈ.સ. 1923માં હાલના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની પ્રજાને હેરાન કરતા બાબરિયા દેવ નામના બહારવટીયાને કાબૂ કરવા સ૨કારે કરેલ વધારાની પોલીસની ભરતી અને નાખેલા 'હેડિયાવેરા' (માથાદીઠ 2.5 રૂપિયા અથવા 2 રૂપિયા 7 આના) નો વિરોધ થયો. વે૨ાની સમગ્ર ૨કમ 2,74,000રૂા. થતી હતી.

✔️ પ્રજા માટે એકબાજુ સરકાર અને બીજી બાજુ બહારવટિયાનો ત્રાસ વધતા વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાત પ્રાંતીય સમિતિએ વેરો ન ભરવા–જપ્તી, દંડ અને સજા વહો૨ીને સત્યાગ્રહ શરૂ કર્યો.

✔️ સરદાર પટેલે ગવર્નર લેસ્સી વિલ્સનને તપાસ કરવાની ફ૨જ પાડી. પરિણામે 5 જાન્યુઆરી, 1924ના રોજ 'હેડિયાવેરો' રદ કરી જપ્ત થયેલો રૂ. 900નો દંડ પરત કર્યો એટલે સત્યાગ્રહનો સફળ અંત આવ્યો.

✔️ ગાંધીજીના અંગત મંત્રી (રહસ્યમંત્રી) મહાદેવભાઈ દેસાઈએ બોરસદ સત્યાગ્રહને 'ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ' તરીકે ઓળખાવ્યો હતો.

✔️ બોરસદના બહારવટીયાઓને સાચો માર્ગ બતાવનાર વ્યકિત રવિશંકર મહારાજ હતા.

Copied By :- સાંદીપનિ અકાદમી અમરેલી
👍 12
🔥 3
🥰 2
2.5K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram